Naazir Dekhaiya
આ ‘નાઝિર'નું સમગ્ર સર્જન એક સંપુટમાં વાચકો-ભાવકોના હાથમાં આપતાં અનહદ આનંદની લાગણી થાય છે. પ્રકાશનનો ઉદ્દેશ ‘નાઝિર'ની ગઝલોને ચાહનારાઓને એમનું સઘળું કાર્ય ઉપલબ્ધ કરાવવાનો છે. ‘નાઝિર'ના પ્રકાશિત સંગ્રહોની ગઝલો ઉપરાંતનું જે કાર્ય ઉપલબ્ધ છે એ સઘળું અહીં
₹475.00
Dhiruben Patel
Dhiruben Patel is a very well-known Gujarati writer who has written in Hindi and English from time to time. She has tried various literary forms with success but is better known as a novelist. These Kitchen Poems of hers are unique in the sense
₹200.00
Rajendra Patel
A poet goes deep down in the ocean of life and brings out the pearls of human emotions. These pearls are nothing else but sensitive poems penned by Rajendra Patel. His curious eyes have captured the silent expression lying behind the routine
₹150.00
मनोहर त्रिवेदी
गुजराती कविता में मिट्टी के रंगों को संजोकर रखने वाले कवि मनोहर त्रिवेदी, गुजराती साहित्य में एक जानामाना नाम है। जिन्हों ने अपने गद्यलेखन में कहानियों और निबंधों के द्वारा पारंपरिक और आधुनिक शैली का समन्वय करके पाठकों के लिए एक साहित्य-सेतु रचा है।
Bhavin Gopani
જેમની બાનીમાં ‘આધુનિકતાય છે અને પરંપરા સાથે પણ મજબૂત સંબંધ છે’ એવા યુવા ગઝલકાર ભાવિન ગોપાણીની પસંદગીની 108 ગઝલોના સંગ્રહ ‘અગાશી’માં સરળ ભાષામાં ‘અલંકારોના કે પંડિતાઈના ઘટાટોપ વગર’ ગઝલો લખાઈ છે. ભાષા સરળ હોવા છતાં એમની કાવ્યબાનીમાં જીવન વિશેનું ઊંડું
Babu Suthar
બાદરાયણના ‘બ્રહ્મસૂત્ર’નું પહેલું સૂત્ર છે: अथातो ब्रह्मजिज्ञासा॥ એટલે કે; હવે અહીંથી બ્રહ્મ વિષયક જિજ્ઞાસાનો આરંભ થાય છે. એ સૂત્રના આધારે બાબુ સુથાર એક બીજું સુત્ર બનાવે છે: અથાતો ઇલિકાજિજ્ઞાસા ॥ એટલે કે; હવે અહીંથી ઇયળ વિષયક જિજ્ઞાસાનો આરંભ થાય
Vicky Trivedi
વિકી ત્રિવેદીનો આ નવો ગઝલસંગ્રહ છંદ, રદીફ અને કાફિયાના પ્રયોગોને લઈને અનોખો છે. એક શેરમાં દિગ્ગજ ક્રિકેટરોની લાક્ષણિકતાઓને ઉપયોગમાં લઈ ઈશ્વરને ફરિયાદ કરતાં કહે છે: ‘મને ઈશ્વર સચિન જેવો બનાવીને જ રહેવાનો, એ મારી સામે દુઃખના બૉલ અખ્તર જેમ ફેંકે
₹175.00
Daksha Patel
મનુષ્ય માટે હરહંમેશ અકળ અને અગોચર રહ્યું છે મૃત્યુ જેનો સમય નક્કી નથી, પણ તેનું આગમન નિશ્ચિત છે પરંતુ એક કવિ પોતાની કવિતામાં કહે છે : નચિકેત, છોડ આ યમનો ઉંબરો અને પોતાની હઠ, પોતાની જિજ્ઞાસા સાથે આવ કવિના દ્વારે, જ્યાં કવિતા જણાવશે સાફસાફ કે મર્યા
Sanju Vala
‘આજ અનુપમ દીઠો’ – જેમ શીર્ષક સૂચવે છે તેમ કવિને આંતરચક્ષુના ઊઘડવાથી પરમ ચેતનાનાં દર્શન થયાં છે અને નરસિંહ અને મીરાની જેમ તેમને દરેક દિવસ, દરેક ક્ષણ અનુપમ ભાસે છે. આ અલૌકિક અનુભવ પછી લાધેલી જળકમળવત્ અવસ્થાને કવિ કલમ દ્વારા વ્યક્ત કરવા ચાહે છે અને
₹225.00
આપણી આસપાસ કેટલું બધું હોય છે. વસ્તુઓ, વ્યક્તિઓ, વૃક્ષો, વાદળો, પશુપંખીઓ, શાકભાજી, ફેરિયા વગેરે. પ્રત્યક્ષ નજરે આપણાથી અલગ લાગતું આ બધું જ આમ તો આપણા જીવનનો અને આપણી દુનિયાનો ભાગ હોય છે. જેની સાથે આપણે સંવેદનના તાંતણે જોડાયેલા હોઈએ છીએ. આ જ
ધારો કે, આપણામાં રહેલું કોઈ આપણને કેદ કરે અને એમાંથી મુક્ત થવા આપણે શું નું શું નથી કરતા? પરંતુ એક સર્જક એમાંથી મુક્ત થવા કવિતાઓ લખે છે અને સર્જે છે પોતાનાં હોવા/અસ્તિત્વ સાથે મળેલ આંતરિક વ્યથાઓને વાચા આપતો સંગ્રહ. આ સર્જક એટલે ફિલાડેલ્ફીયા સ્થિત
Udayan Thakker
આ ઉપહારમાં છે શું?’ ‘વાર્તાઓના આસ્વાદ : મેઘાણી, મડિયા, સુરેશ જોષી...’ ‘હાસ્યનિબંધોના આસ્વાદ પણ ખરા... બકુલ ત્રિપાઠી, જ્યોતીન્દ્ર દવે, વળી રમણભાઈ નીલકંઠની નવલકથા, ભદ્રંભદ્ર... અને પુ. લ. દેશપાંડે...’ ‘દેશપાંડે એટલે પેલા મરાઠી હાસ્યલેખક?’ ‘હા,
₹250.00
Dinesh Kanani
આપણને કોઈ પૂછે કે જીવન કેવું? તો આપણે કહીશું એકદમ મસ્ત. પરંતુ ગઝલકાર દિનેશ કાનાણી જીવનની સાચી તસવીર એક શેરમાં રજૂ કરે છે - બસ ચિઠ્ઠીના ચાકર જેવું જીવન થઈ ગયું છે રસ્તા વચ્ચે સાંકળ જેવું જીવન થઈ ગયું છે. નવાં જ કલ્પનો અને વિચારો સાથે પોતાની વાત
₹325.00
Rajesh Vyas ‘Miskeen’
રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ એટલે એવા ગઝલકાર જેમણે ગુજરાતી ગઝલની ક્ષિતિજોને વિસ્તારી, ગુજરાતી ગઝલમાં આધ્યાત્મિકતાનો સૂર મિલાવ્યો, જેમની ગઝલોમાં પરંપરા અને આધુનિકતાનો સમન્વય સાધ્યો, જેમણે આત્મીય સંબંધોની વેદનાને સંવેદનામાં પરિવર્તિત કરી છે, અને ગુજરાતી
‘મારે મન ગઝલ એ મારી જાત સાથેનો સંવાદ છે’ કે પછી, ‘મારી ગઝલ એ આ દુનિયા સાથે, ઈશ્વર સાથે, પ્રિય પાત્ર સાથે કરેલી વાતચીત છે’ એવું રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ શા માટે કહે છે એ તેમના આ આઠમાં ગઝલસંગ્રહમાંથી પસાર થતી વખતે ભાવકને નવેસરથી સમજાય છે. ‘એ સમથિંગ
Nitin Vadgama
નીતિન વડગામાની કવિતાઓ પ્રિયતમા વિશે લખાયેલી ગઝલો નથી. એમની ગઝલોમાં વારંવાર એક શબ્દ આવે છે `સંકેત.’ આ સંકેતને ઉકેલતાં-ઉકેલતાં ક્યાં તો સંકેત ઉકેલાયો તેવી આ ગઝલો છે. કોઈ સંતનું વ્યક્તિત્વ કેવું હોય? એ પગલાં કેવાં હોય? એ સંકેત કેવા હોય? તે આ ગઝલોમાં
Shaunak Joshi
વિપુલ માત્રામાં લખાતી ગઝલો વચ્ચે જ્યારે કોઈ નવો અવાજ આવે ત્યારે ભાવકોના કાન સરવા થઈ જાય છે. પૂરતી સમજણ અને નિષ્ઠા સાથે ગઝલકર્મ કરતો આ નવો અવાજ છે યુવા ગઝલકાર શૌનક જોશીનો. આ કવિ પાસે એક સારી ગઝલ કહેવા માટે જરૂરી તમામ બાબતો જેવી કે શુધ્ધ છંદોવિધાન,
છેલ્લા એક દશકમાં પોતાના આગવા મિજાજ અને અનોખી બાની સાથે મુશાયરાઓ ગજવનાર કવિ ભાવિન ગોપાણીએ ગઝલરસિકો સાથે સર્જકોને પણ આકર્ષ્યા છે. પરંપરાથી અલગ વિષયો પર ગઝલ કહેનાર ભાવિનભાઈની શાયરીમાં વિષયવૈવિધ્ય સાથે તાજપ જોવા મળે છે. પ્રકૃતિ સાથે જાતને આત્મસાત્ કરતા
‘કંઈક/કશુંક/અથવા તો...’ કવિ સંજુ વાળાનો સંવર્ધિત રચનાઓ સાથેનો વિશિષ્ટ કાવ્યસંગ્રહ. સૌરાષ્ટ્રની તળપદી બોલીમાં માનવહૃદયનાં ઋજુ અને બારીક સંવેદનોને ઝીલતા આ કાવ્યસંગ્રહમાં છે રમતિયાળ લય ધરાવતાં ગીતોનો વૈભવ અને હૃદયસોંસરવી ઊતરી જતી ગઝલોનો અસબાબ. ક્યાંક
“કરાર” એટલે બે પક્ષકારો વચ્ચે થયેલ સમજૂતીનો લેખિત પુરાવો. જેમાં એક પક્ષકારની દરખાસ્ત અને બીજાની સ્વીકૃતિને કાયદાકીય મહોર મારવામાં આવે છે. પરંતુ કુદરત અને માનવી વચ્ચે પણ એક વણલખ્યો કરાર અસ્તિત્વ ધરાવે છે. જે અનુસાર કુદરત વગર કોઈ અપેક્ષાએ માત્ર
Dr. Ashok Patel
કૅફેની એક આગવી ઓળખ હોય છે! દાખલ થાવ, ને એક માદક ખુશબૂ દોડતી આવે ને તમને વળગી પડે! ચટકંતા રંગો... તમને હાથ ઝાલી, અંદર તેડી જાય! ક્યાંક ગુસપુસ ચાલતી હોય, ક્યાંક વાતો, ક્યાંક અટ્ટહાસ્ય તો ક્યાંક નજરોની મુલાકાતો! એકલું ના લાગે! ભર્યું ભર્યું
₹275.00
Ankit Trivedi
અંકિત ત્રિવેદીની મૂળભૂત તાસીર એક સંવેદનશીલ કવિની હતી, છે અને રહેવાની છે તે સત્યની નક્કર પ્રતીતિ કરવી હોય તો આ કાવ્યસંગ્રહમાંથી પસાર થઈ જવું. 83 ગઝલો, 17 ગીતો અને છ અછાંદસ મળીને કુલ 100 પદ્યકૃતિઓનો આ સંગ્રહ ભાવકને એક વિશિષ્ટ સંવેદનસૃષ્ટિમાં લઈ જાય
રાષ્ટ્રીય કક્ષાએ પોંખાયેલાં અને ગુજરાતીમાં તંતોતંત અનુવાદ થયેલાં ભારતની ચાર ભાષાના કુલ ચૌદ કવિઓનાં કાવ્યોને સમાવતું આ પુસ્તક વિષયવૈવિધ્ય અને અભિવ્યક્તિની તાજગીનો અનુભવ કરાવે એવું છે. વ્યક્તિથી સમષ્ટી સુધી વિસ્તરતી મનોભાવચેતનામાંથી નીપજતો કાવ્યધ્વનિ
₹160.00
Pradip Khandwalla
આ પુસ્તકમાં લાગતાં અંગ્રેજીનાં 202 કાવ્યોનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. અંગ્રેજીમાં તો લાખોની સંખ્યામાં કાવ્યો લખાયા છે અને અનૂદિત થયાં છે. એમને પ્રતિનિધિત્વ આપવાનું અહીં ગજું નથી. લગભગ હજારેકની આસપાસ બ્રિટિશ, અમેરિકન, ભારતીય અંગ્રેજીમાં લખેલાં અને
₹700.00
Vinod Oza
પોતાના વિચારને ગઝલમાં ગૂંથીને વિસ્મય જગાડતા કવિ વિનોદ ઓઝાએ હાથમાં હલેસાની જેમ કલમ લઈને કવિતાનો દરિયો ખેડવાનું સાહસ આરંભી દીધેલું. એમની ભીતરી ભોંયમાં જે સતત બંધાતું રહ્યું, વીખરાતું રહ્યું અને એમાંથી જે કંઈ કાગળ ઉપર ઠલવાયું એ બધામાંથી તારવી-સારવીને
મનોહર ત્રિવેદી
કાવ્ય, નવલકથા, વિવેચન, વાર્તા, નિબંધ, બાલવાર્તાઓ-ગીતો – એમ સાહિત્યનાં તમામ સ્વરૂપ સાથે સુપેરે કામ પાડનાર કવિશ્રી મનોહર ત્રિવેદીના નવતર સંગ્રહ ‘કહો કે ના કહો’ એ ગીતો, ગઝલો અને અછાંદસ કાવ્યોનો સંગ્રહ છે. ગીતો કવિને હાથવગાં નહીં, પણ હૈયાવગાં છે, તેથી
ખબર નહીં, આ લખાણ ક્યાંથી આવે છે? માના ધાવણ જેવું છે! ખબર નહીં, ધાવણ... ક્યાંથી આવે છે? વિચાર આવવો ને વિચાર લાવવો એમાં ફરક છે! એક organic છે, બીજું ભેળસેળીયું! લાડ, લાગણી, પીડા, પ્રસન્નતા... ઉભરાવી જોઈએ. એ ઉભરો શાહી બની કલમમાં ઝીલાવો જોઈએ. એ પછી,
₹350.00
Hemant Punekar
આજકાલ ગઝલો વિપુલ પ્રમાણમાં લખાય છે. એકંદરે છંદોબદ્ધ રચના લખનારાઓનું પ્રમાણ પણ ખૂબ વધ્યું છે. ‘કાગળની નાવ’ લઈને ગઝલની વૈતરણી પાર કરવા નીકળેલા કવિ ચોક્કસ ગઝલને ભાળી ગયા છે. તે ગઝલના શાસ્ત્રના અભ્યાસુ છે અને ગઝલની નાડ નજાકતથી પકડે છે. કાગળની નાવની ગઝલ
ગુજરાતી ભાષામાં આ પ્રકારનું સર્વપ્રથમ પ્રકાશન છે. કોઈપણ પાનું ખોલીને તમે વાંચશો તો પ્રત્યેક શબ્દ, પ્રત્યેક વાક્ય તમને તમારી ભીતરની દુનિયામાં લઈ જતું લાગશે. આ કાવ્યો મારી દાયકાઓની ઉપાસનાની જિંદગીનો નીચોડ છે. ભારતના સદ્ગુરુઓ, સંતોના સાંનિધ્યનો,
₹500.00
ધીરુબેન પટેલ
શું રસોડું હજુય ઘરનું સૌથી અન્ડર-રેટેડ અંગ છે? કદાચ. રસોડું એવી જગ્યા છે, જ્યાં માત્ર ખાવાનું જ નથી રંધાતું, જ્યાં કેવળ વાનગીઓની સોડમ નથી ફેલાતી. અહીં તો સ્ત્રીનાં મન-હૃદયમાં ઘણું બધું બને છે, બાહ્ય અને આંતરિક સ્તરે. ધીરુબહેન પટેલ રચિત ‘કિચન પોએમ્સ’
Harish Meenashru
કાવ્યસંગ્રહ ‘કુંભલગઢ’માં મુખ્યત્વે ગદ્યકાવ્યો અને અછાંદસ રચનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ‘થોડી અઘરી બાળવાર્તાઓ’, ‘સૃષ્ટિમંડાણની કથાઓ’, ‘વિવેચક વિષે એક બોધકથા’, ‘એક રણાખ્યાયિકા’ કે ‘હિમાખ્યાન’ જેવાં શીર્ષકો - ઉપશીર્ષકો ઇંગિત કરે છે તેમ આ કાવ્યોનાં
Raeesh Maniar
કેવળ સફરમાં છું, હું હરીફાઈમાં નથી રસ્તે ઘણું સરસ છે, જે સરસાઈમાં નથી આ સુંદર શેરમાંથી જ આ ગઝલસંગ્રહનું શીર્ષક આવ્યું છે. આપણા સમયના શ્રેષ્ઠ શાયરોમાંના એક એવા કવિ રઈશ મનીઆરની કલમકલાથી નીપજેલી આ ગઝલો આપણા સહુ કોઈની જીવનસફર દરમ્યાન ભાથું બની
Suresh Parmar 'Soor'
બારમી સદીમાં ઈરાનમાં જન્મેલ મહાન વિભૂતિ જેમને ગણિતજ્ઞ કહેવા કે ખગોળશાસ્ત્રી, યંત્રવિજ્ઞાનના જાણકાર કહેવા કે ભૂગોળશાસ્ત્રી કે પછી ખનીજવિદ્યાના અભ્યાસુ કે સંગીતજ્ઞ તરીકે ઓળખવા? વિવિધ ક્ષેત્રોમાં પોતાનું બહુમૂલ્ય યોગદાન આપનાર ઉમર ખય્યામ સૌથી વધુ જાણીતા
Khalil Dhantejvi
મુશાયરાઓમાં પ્રત્યેક શેર પર જેમને દાદ મળતી હોય તેવા કવિઓની પ્રથમ પંક્તિમાં લેવાતું નામ તે ખલીલ ધનતેજવી. કવિનો એક શેર માણો : “જે તને ચુંબન કરી ચાખી જશે, એ હવા મારા સુધી પહોંચી જશે!” ખમીર અને ખુમારીના આ કવિની ગઝલોમાં શેરિયત છે, સાદગી સાથેનું ઊંડાણ છે.
₹2,000.00
Mahendra Joshi
કવિ મહેન્દ્ર જોષી ગીતો અને ગઝલોનાં સર્જક. અંગત સંવેદનાઓને કાવ્યનું રૂપ આપવા તેઓ અછાંદસ કાવ્યસ્વરૂપનો આશ્રય લે છે અને આપણને મળે છે એક નવો કાવ્યસંગ્રહ ‘ખીંટીઓ’. ક્ષણોની ખીંટીઓ પર ટિંગાળેલાં સ્મરણોને ઊતારીને તેઓ કાવ્યસ્વરૂપે આપણી સામે ધારે છે. જેમાં
Makarand Musale
આધુનિક યુગમાં ગુજરાતી કવિતાનો સૌથી લોકપ્રિય પ્રકાર એટલે ગઝલ. નવોદિત કવિ સૌપ્રથમ ગઝલ ઉપર પોતાનો હાથ અજમાવતો હોય છે. મહેફિલો અને મુશાયરામાં ગઝલનો જાદુ છવાતો હોવાથી તેણે દરેક કવિ અને ભાવકને મોહિત કર્યા છે, પરંતુ ગઝલનું નોખું બંધારણ અને અટપટા છંદોને
Chandrakant Shah
કવિ, લેખક, નાટ્યકાર, સંચાલક, આયોજક, વાર્તાકાર, ફિલ્મનિર્માતા ને નિર્દેશક કૈંક ઓળખ એમની. વળી પોતાનો આઇટી બિઝનેસ. અમેરિકામાં સંરક્ષણ ખાતા સાથે પણ સંકળાયેલો હોય એવો! પણ એ મળે ત્યારે કોઈ ભાર નહીં, બસ યાર દિલદાર જ મળે. મને સાંભળ્યા વાંચ્યા પછી બહુ
₹600.00
Yusuf Bookwala
ગુજરાતી ગઝલના આકાશમાં અનેક ગઝલકારો સિતારાની જેમ ચમકી રહ્યા છે, પરંતુ કેટલાક ગઝલકારોનું અનોખું પ્રદાન હોવા છતાં તેઓ અલ્પ-પ્રસિદ્ધ રહ્યા છે. આવું જ એક નામ એટલે જનાબ યુસુફ બુકવાલા. માત્ર ચૌદ વર્ષની ઉંમરથી કવિતાનો શોખ ધરાવનાર યુસુફભાઈ તેમની આસપાસ યોજાતા
Bharat Vinzuda
કોઈ પણ ઘટના અચાનક બની રહી હોય ત્યારે કેમેરો લઈને તેનો વિડીયો શુટીંગ કરવા માંડીએ તો તે દસ્તાવેજી ફિલ્મ થઈ ગણાય. કોઈ કલાકૃતિમાં એનો સમાવેશ થાય નહીં. ઉપરાંત દરેક વ્યક્તિનો એક સમય ચાલતો હોય છે.એ સમયમાં એના એક પછી એક બનતા બનાવો ક્રમશઃ મૂકી દેવામાં આવે તો
Yagnesh Dave
પાંચ વિભાગમાં રજૂ થયેલાં આ સંગ્રહનાં કાવ્યો જ્ઞાની-વિજ્ઞાની કવિ યજ્ઞેશ દવેએ એકલાએ રચેલાં છે પણ એકમાં અનેક અવતરેલા કવિઓનો ભેટો થાય છે. આ કવિ પર્યાવરણના નિષ્ણાત તો ગળથૂથીથી પણ ઇતિહાસ-ભૂગોળ અને નૃવંશશાસ્ત્રનાં તથ્યો પણ માણતા રહે છે. શું થશે માણસનું?
રાજેન્દ્ર પટેલ કવિ થયા ત્યારે આરંભમાં કેવાં અને કયાં કાવ્યો રચ્યાં એ આ સંગ્રહમાં સચવાયાં છે. સંગ્રહનાં બધાં કાવ્ય છંદમાં છે. લો, ગણગણો, પછી મમળાવો... “જુઓ અહીં, વહી રહી નદી રિક્તકાંઠે, / કાલે હતી સભર, આજ ઊભી અભાવે.” સંગ્રહની વિશેષતા એ કે, ગુજરાતીમાં
₹90.00
Shailesh Parekh
કવિવર રવીન્દ્રનાથ ટાગોર કંઈ કેટલાયની પ્રેરણામૂર્તિ રહ્યા છે. પરંતુ કવિવરની પોતાની પ્રેરણામૂર્તિ કોણ? જેમણે તેમનાં જીવન અને સાહિત્ય પર ઊંડી અસર પાડી, જેમણે કવિની પ્રતિભાના વિકાસમાં ઊંડો રસ લીધો, એમનું નામ હતું કાદંબરીદેવી. જ્યોતિરિન્દ્રનાથ, જે
Bhavesh Bhatt
ક્યારેક ભરવસંતે તો ક્યારેક પાનખરમાં સમયની ડાળ પરથી દરેકે તૂટવાનું તો છે જ ત્યારે કવિ ભાવેશ ભટ્ટ તૂટવાની પણ એક સુંદર રીત બતાવતાં કહે છે, કોઈ સ્થિતિ બચાવશે ક્યાંથી બળ નહી તો જતનથી તૂટીએ સાંપ્રત જીવનની આવી જ વાસ્તવિકતાઓનું ચિંતન કરી લયબદ્ધ
ભોજા ભગતનો પેલો પ્રસિદ્ધ ગરબો યાદ છે? ‘હાલોને કીડીબાઈની જાનમાં!’ અને ‘હાલાજી તારા હાથ વખાણું, કે પટી તારા પગલાં વખાણું’ કેટલું પ્રચલિત છે! મેઘાણીનું ‘મન મોર બની થનગાટ કરે’ તો કેમ ભુલાય? અને પેલું મીઠ્ઠું મજાનું બાળગીત ‘એક બિલાડી જાડી, એણે પહેરી
હાઇકુ એ ૫-૭-૫નો એક ખેલ નથી. એ કદાચ લીલા છે, આ લીલામય વિશ્વને લઘુસ્વરૂપે સંગોપવાની. તેની દેખાતી સરળતામાં કશુંક સંકુલ ભર્યું હોય, ક્યારેક શબ્દોમાં કહેવાયા કરતાંય વધારે ઇંગિતો કે શબ્દો વચ્ચેની મોકળાશથી કહેવાયું હોય કે ક્યારેક ઇન્દ્રિયો સામે જ હોવા છતાં
વિકી ત્રિવેદીની ગઝલોનો પ્રાણ છે પીડા. એની કથાનો સાર છે વ્યથા. વિકીનું મૂળ નામ કદાચ વિનોદ છે. પણ આપણને લાગે કે કુદરતે એના હિસ્સામાં વિનોદ ઓછો અને વ્યથા વધારે રાખી હશે. પોતાની અંગત વ્યથાઓ જ ખુદ ઉપાડી ન શકાય એવી વજનદાર હોય ત્યાં આ સંવેદનશીલ માણસ
વતનથી સાત સમંદર પાર વસતો એક કવિ. પોતાનાં માતા પિતાને અંત સમયે પિંડદાન નથી કરી શકતો. ત્યારે તેમના પ્રત્યેના પ્રેમ, માન અને લાગણીને શબ્દોમાં ઢાળી પોતાનાં માવતરને આપે છે કાવ્યાંજલિ અને રચાય છે કાવ્યસંગ્રહ ડોશી, બાપા અને બીજાં કાવ્યો. તળપદા શબ્દપ્રયોગો
Gaurang Thaker
મુશાયરા હોય કે સામયિકો, આગવી શૈલી અને ચોટદાર રજૂઆત સાથે ગૌરાંગભાઈની ગઝલોએ આગવી ઓળખ ઊભી કરી છે. આધુનિક ગઝલ સર્જનમાં પોતીકી કેડી કંડારવાની તેમની રીત આ નવા ગઝલસંગ્રહમાં પણ જોવા મળે છે. આ સંગ્રહમાં કવિ ક્યાંક પાપની વ્યાખ્યા કરતો એક નોખો શેર કહે છે તો
Agan Rajyaguru
આ એકવીસમી સદીના બીજા અને ત્રીજા દાયકામાં અગાઉ કરતા સંખ્યાધિક અને નરવા કવિઓના અવાજ સંભળાય છે. એ બધામાં નોંધ લઈ શકાય એવા કવિ એટલે શ્રી અગન રાજ્યગુરુ. પ્રથમ સંગ્રહ આપ્યા પછી ટૂંકા સમયમાં જ બીજો ગઝલ સંગ્રહ આપનાર કવિ અગન રાજ્યગુરુની ગઝલો વાંચતા એવું લાગે
Shabanam Khoja
શબનમ ખોજા કહે છે કે તેની સાત પેઢીમાં પણ કોઈનો કવિતા સાથે નાતો નથી. એ ગર્વથી તેમાં ઉમેરે છે : `Yes, I am the chosen one!' કવિતા પોતે પોતાના સર્જકને પસંદ કરે ત્યારે તે સર્જનમાં અભિનિવેશ નહીં પણ આભિજાત્ય હોય છે. શબનમની રચનાઓમાં આ આભિજાત્ય શબ્દે શબ્દે
Hemant Dhorada
હજુ આજેય જ્યારે ગઝલના ગુજરાતી સાહિત્યના કાવ્યપ્રકારરૂપે સ્વીકાર સામે પ્રશ્નાર્થ ઊભા કરાય છે ત્યારે ગઝલ સૌથી વધારે ખેડાતું સ્વરૂપ છે એ પણ હકીકત છે. મૂળ અરબી-ફારસી કાવ્યપ્રકાર હોવા છતાં ગઝલને સમયાંતરે ગુજરાતી ભાષામાં ખેડવામાં આવી છે. ગઝલના મૂળ છંદોની
₹450.00
Harshvi Patel
ગઝલ લખનાર કવયિત્રીઓની યાદી બનાવીએ તો ખૂબ જ ઓછા નામ સામે આવે છે. એમાનો એક આગવો અવાજ - હર્ષવી પટેલ. તેમની ગઝલની કલમમાંથી મૌલિકતાની સાથે ખુમારીની સ્યાહી છલકાતી જણાય છે. આ વાતનો પુરાવો તેમનાં અનેક શેરોમાંથી મળે છે. નાનપણથી જ ગઝલની શિબિરો અને સાહિત્ય
Rakesh Hansaliya
સરળ-સહજ બાની અને સીધી અભિવ્યક્તિ એ સાંપ્રત ગઝલનો પ્રવાહ છે. એમાં રાકેશભાઈ પોતાનો આગવો સૂર લઈને આવે છે. મિત્રતા પર અઢળક શેર લખાયા છે. રાકેશભાઈ મોકળા મનવાળા સાથે મિત્રતા કરવાનું કહે છે. જિંદગીનો સાચો આનંદ બાળસહજ નિખાલસતામાંથી મળતો હોય છે. આ વાતને
હિન્દી ભાષાના નામાંકિત કવિ અશોક વાજપેયી, જે કવિ હોવાની સાથે નિબંધકાર, સમીક્ષક અને બહુઆયામી લેખક છે, જેમનાં ૨૩થી પણ વધુ પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે. દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત આ કવિનો એક સુપ્રસિદ્ધ કાવ્યસંગ્રહ ‘કુછ રફૂ કુછ થીગડેં’...
Parshottam Rathod
વિશ્વભરમાં પ્રચલિત અને અનોખા અંદાજે બયાનવાળા ગાલિબ કોઈ પરિચયના મોહતાજ નથી. ચોટદાર અભિવ્યક્તિ, નોખી છટા, અનોખી વિચારગૂંથણી અને તર્કબદ્ધ કાવ્યાત્મકતા માટે ગઝલની દુનિયામાં અનન્ય સ્થાન પામનાર શાયર અસદ ઉલ્લાખાન બેગ ‘ગાલિબ’ના તખલ્લુસથી મશહૂર છે. પોતાની આ
ક્યાંક કબીરની સાધુક્કડી જેવી તિર્યક વાણી, ક્યાંક તોછડી સમજાવટ તો ક્યાંક પ્રેમાભક્તિનો આર્દ્ર અનુનય, - પદપ્રાંજલિનાં પદો નોખી નોખી રીતે ભજનનું હાર્દ પ્રકટાવે છે. પારભૌતિક રહસ્યમયતાને સ્પર્શતો ભાષાયોગ આ પદોની વિશિષ્ટતા છે. આમ તો આ બધાં જ પદો એકસમાન
રાજેશ વ્યાસ ‘મિસ્કીન’નો પ્રત્યેક ગઝલસંગ્રહ એમના ચાહકો માટે એક ઉત્સવ સમાન હોવાનો. આ પુસ્તકમાં એમની 103 ગઝલો સમાવી લેવામાં આવી છે. કવિ પ્રસ્તાવનામાં કહે છે કે ગઝલ ક્યારેક તેમને આખી રાત જાગતા રાખે છે. જિવાતા જીવનનાં નિરીક્ષણો તેમ જ વહેતા જતા સમયના
Dhwanil Parekh
ગુજરાતી કવિતાના આકાશમાં ચોતરફ ફેલાયેલા ગઝલના અજવાળાની વચ્ચે કવિ ધ્વનિલ પારેખ પ્રગટાવે છે અછાંદસ કાવ્યોનો દીવો અને આપણને મળે છે નવો કાવ્યસંગ્રહ ‘પારદર્શક’. પ્રથમ દ્રષ્ટિએ સામાન્ય લાગતાં વિષયો પર રચાયેલાં આ કાવ્યોમાંથી પસાર થતાં કવિની સચોટ અને નવીન
Vinod Manek
પ્રેમનો રંગ, પરમતત્ત્વમાં ઓગળી જવાની અલૌકિકતા, જીવનની વરવી વાસ્તવિકતા અને જીવનની ફિલસૂફીથી સજ્જ ગઝલકાર વિનોદ માણેક ‘ચાતક’નો નવો જ ગઝલસંગ્રહ ‘પ્રેમનું સરનામું ગઝલ’. બરછટ થઈ ગયેલી માણસની સંવેદના પર કટાક્ષ કરતો શેર ચારે તરફ ભડકે બળે આખું નગર તું
₹210.00
રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ના આ પુસ્તકના શીર્ષકની ટૅગલાઇન છે, ‘આસ્વાદ સાથે’. વાસ્તવમાં આ પુસ્તકનો સૌથી મોટો પ્લસ પૉઇન્ટ પણ એ જ છે. અહીં કવિએ મુખ્યત્ત્વે પોતાની માતા વિશે લખેલાં કાવ્યો સંગ્રહાયાં છે, એમના પિતા વિશેની થોડીક રચનાઓ પણ છે. એમાંથી કેટલાંયનો
કવિ રાજેન્દ્ર પટેલનો ‘એક શોધપર્વ’ પછીનો આ પાંચમો કાવ્યસંગ્રહ એના નામમાં રહેલા વિષયને લઈને વિશિષ્ટ ભાત પાડે છે. કવિ કહે છે, “આ કાવ્યસંગ્રહમાં પરંપરાનો મહિમા છે, જેને લીધે મારું અસ્તિત્વ ઉત્ક્રાંત થતું રહ્યું છે. મારી સંવેદના અને સમજ, મારાં
₹125.00
અવનવા પ્રયોગો, તાજાં કલ્પનો, છંદ તેમ જ વિષય-વૈવિધ્યથી સભર કવિ હરીશ મીનાશ્રુનો ગઝલસંગ્રહ ‘બોલે બાવન બ્હાર બટેર’ ભાવકોને નવા જ ભાવવિશ્વમાં લઈ જાય છે. સાથે ગઝલના અભ્યાસુઓ માટે પણ નવી બારી ખોલી આપે છે. બાવન અક્ષરો દ્વારા પણ જે વ્યક્ત ન થઈ શકે એવાં
Arpan Christy
બ્લૅક હોલ, જેના શક્તિશાળી ગુરુત્વાકર્ષણથી બ્રહ્માંડનો કોઈ પણ પદાર્થ તેના તરફ ખેંચાયા વગર રહી નથી શકતો. અર્પણભાઈની ગઝલોમાં પણ આવું જ ખેંચાણ છે જે સંગ્રહના શીર્ષકને સાર્થક કરે છે. ગઝલલેખનનું અભિન્ન અંગ એટલે પ્રેમ, જેને મેળવવાની સુંદર રીત રજૂ કરતાં
Yogesh Vaidya
આ કાવ્યસંગ્રહનાં ઘણાં કાવ્યોમાં વિગત સમયખંડની સંવેદનશીલ છબિ છે. એ છબિ ઊભી કરવામાં પ્રયોજેલી ભાષા, લય, રીતિથી આ રચનાઓ અવશ્યપણે અન્ય સમકાલીન રચનાઓથી નોખી પડે છે. આ કવિતામાં અસ્મિતા ભાન સ્પૃહણીય રૂપે વ્યક્ત થયું છે. આજકાલ મંદ પડતા દેખાતા અને સાધનામાં
આ કવિતાઓ એક કવિનો પક્ષ લે છે જેને કેદારજી એકવીસમી સદીના બીજા દશકમાં આવીને પક્ષહીન થઈ ગયેલા આપણને સોંપી રહ્યા છે. આ કવિતાઓ હિંસાના વિશાળ પડદા આગળ એક મનુષ્યના હિંસક હોવાનો અસ્વીકાર કરે છે – જોવામાં બહુ વિનમ્ર, વિનીત પણ ચટ્ટાનજેવા સખત, દૃઢ અને
રાજેશ વ્યાસ ‘મિસ્કીન’નો આ નવમો ગઝલસંગ્રહ છે. આમાં એમની 158 અપ્રગટ રચનાઓ સમાવી લેવામાં આવી છે. કવિ પ્રસ્તાવનામાં નોંધે છે તેમ, આ સંગ્રહની ઘણી ગઝલો મુસલસર છે. એમાં ભાવ-વિચાર-વિષયનું સાતત્ય જળવાયેલું રહે છે. પ્રત્યેક શે’ર પછીના શે’ર સાથે અનુસંધાન ધરાવે
Mrunalini Sarabhai
પ્રેમ, શૌર્ય, મોહ, છળકપટ, કર્મ, ધર્મના તાણાવાણામાં ગૂંથાયેલી પ્રાચીન ભારતની મહાન કથા એટલે વેદવ્યાસરચિત મહાકાવ્ય મહાભારત. આશરે એક લાખ શ્લોકોમાં કહેવાયેલી આ કથાને ભારતનાં સુપ્રસિદ્ધ નૃત્યાંગના અને લેખિકા મૃણાલિની સારાભાઈ સંવેદનશીલ અને લાલિત્યસભર
₹100.00
ઈશારામાં વાત પતી જતી હોય તો શબ્દ વેડફવો ન જોઈએ અને શબ્દથી વાત પતી જતી હોય તો વાક્ય બોલવાનું ટાળવું જોઈએ એવી કવિ મકરન્દ મુસળેની સમજ છે. લાંબા લાંબા વર્ણનો થકી વાતની માંડણી કરવાનું - સાંભળવાનું તેમના સ્વભાવને અનુકૂળ નથી. કદાચ એટલે જ તેમને ગઝલ પ્રત્યે
સર્જનાત્મક કૃતિ એક મુક્ત એન્ટિટી છે. એને એક કરતાં વધારે રીતે માણી શકાય, એક કરતાં વધારે સ્તરથી નીરખી શકાય. ભાવક બદલાય એમ કૃતિનું અર્થઘટન પણ બદલાય, પણ સર્જક ખુદ જ્યારે પોતાની કૃતિનો રસાસ્વાદ કરાવે તો? તો ભાવકને વિશિષ્ટ અનુભૂતિ થયા વગર ન રહે. આ
Gaurang Divatia
કોઈ પણ સર્જક પ્રથમ તો ઉમદા ભાવક હોય છે. મૂર્ધન્ય કવિ નરસિંહરાવ દિવેટિયાના વંશજ ગૌરાંગભાઈ પણ કવિતાના ચાહક તેમ જ ગુજરાતી ગીત-સંગીતમાં ઊંડો રસ ધરાવતા સુજ્ઞ ભાવક. સાંભળેલી અને ચાહેલી કવિતાઓનો સૂર તેમની કલમે જઈ બેસે છે અને સર્જાય છે કંઈકેટલાંય ગીતો અને
૨૦મી સદીમાં ભારતભૂમિ પર રચાયેલા ઉત્તમ સાહિત્યમાંનું એક ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરનું રવીન્દ્રસાહિત્ય. એમના સુપ્રસિદ્ધ બંગાળી કાવ્યસંગ્રહ ‘ગીતાંજલિ’ને બહોળા વાચક વર્ગ સુધી પહોંચાડવા કવિવરે પોતે તેનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો, જે ૧૯૧૨માં પ્રગટ થયો.
₹1,000.00
ગુજરાતી ગઝલની ક્ષિતિજો વિસ્તારીને જેમણે ગુજરાતી ગઝલમાં આધ્યાત્મિકતાનો સૂર મિલાવ્યો, જેમની ગઝલોમાં પરંપરા અને આધુનિકતાનો સમન્વય છે, જેમણે આત્મીય સંબંધોની વેદનાને સંવેદનામાં પરિવર્તિત કરી છે અને ગઝલને ગુજરાતીપણું બક્ષ્યું છે. પોતાની વિશિષ્ટ છટા અને
₹2,475.00
લખવું એટલે? તમે કહેશો ‘લખવું એટલે લાગણીઓને વાચા આપી સંવેદનોને અભિવ્યક્ત કરવાં.’ પરંતુ કવિતાની ધૂણી ધખાવનાર કવિ બાબુ સુથાર કહે છે,‘લખવું એટલે મૃત્યુ પામવું એટલે કે કોઈક પ્રાચીન લિપિ તળે દટાઈને મરણ પામેલા પતંગિયા સાથે વાત માંડવી. મૃત્યુ પામવું એટલે
Dr. Maulin Shah
કાવ્યસંગ્રહનું શીર્ષક જ એના હાર્દને પ્રગટ કરી દે છે. એમાંની સમગ્ર અભિવ્યક્તિનું કેન્દ્ર છે લાગણી અને લાગણીની ભિન્ન ભિન્ન મુદ્રાઓ. પ્રીત અને પિયુ, પુત્રી, પુત્ર, માતા, પિતા, સ્વજનો, મિત્રો - આ સૌની સંવેદના એ તીવ્રપણે અનુભવે છે. અને શબ્દો દ્વારા
Ashvinsinh Jadav
અભિવ્યક્તિમાં નાવીન્ય અને છંદ તેમજ વિષયમાં વૈવિધ્ય ધરાવતાં આ ગઝલસંગ્રહમાં અનેક શેર પહેલી નજરે સ્પર્શી જાય એવા છે. સૌંદર્ય, પ્રેમ, પ્રતીક્ષા, વિરહ અને સામાજિક નિસ્બત સાથે લખાયેલી અશ્વિનસિંહ જાદવની ગઝલો અનેક સંભાવનાઓ અને આશાઓ જગાવી પોતાનો નોખો અવાજ
કવિ રાજેન્દ્ર પટેલના પહેલા કાવ્યસંગ્રહ ‘કોશમાં સૂર્યોદય’માં એકકોષીનું બહુકોષીમાં રૂપાંતરની પ્રક્રિયાની આરંભેલી શોધ ‘વસિયતનામું’ સુધી વિસ્તરી છે. પહેલી શોધ કોષની હતી તે ઉત્ક્રાંત પામતી આ સંગ્રહમાં ચેતનાની ભૂમિકાએ સત્ત્વ અને તત્ત્વ સુધી પહોંચી છે. કવિ
₹130.00
માણસ જીવંત છે કારણ કે ચેતનની સાથે જડ પદાર્થો સાથે એને નિસબત છે. જીવવા માટે ઉપયોગમાં આવેલી, લેવાયેલી, લેવાતી રહેલી વસ્તુઓ સાથે લાગણી જોડાય છે તેથી એ એ વસ્તુનું જીવનમાં મૂલ્ય ઊભું થાય છે અથવા સ્મૃતિમાં જડાયેલી રહે છે. રાજેન્દ્ર પટેલ એમ કહે છે કે,
કૃષ્ણપ્રેમના અનાયાસે સ્ફુરેલી આ ચોર્યાસી રચનાઓ એક અનેરા ભાવવિશ્વમાં ડુબાડીને જાણે રાધા, મીરા, યમુના, વ્રજ, મેવાડ અને સાક્ષાત્ શ્રીજીસ્વરૂપ શ્રીનાથજીની સમીપે લઈ જતાં હોય એવી અનુભૂતિનો આનંદ મને સાંપડ્યો છે, એ આનંદ તમારા હૃદયને ભીંજવશે. આ રચનાઓમાંથી
સાહિત્યરસિક રાજેન્દ્ર પટેલને અનુવાદપ્રવૃત્તિના કારણે વિદેશી સાહિત્યનો ગાઢ પરિચય થયો. વિશ્વસાહિત્યના પ્રતિભાશાળી કવિ-લેખકોનો અને તેમનાં લેખનનો ગુજરાતી વાચકોને પરિચય થાય તેવા ઉમદા હેતુથી આ પુસ્તક લખાયું છે. પુસ્તકમાં પાબ્લો નેરુદા, લૉર્કા, માર્ગરેટ
₹140.00
પરંપરાગત કલ્પનો અને પ્રતીકોથી બહાર નીકળીને હંમેશાં નોખા તર્ક અને દલીલો સાથે ગઝલ કહેતા ભાવેશ ભટ્ટ આ નવા સંગ્રહમાં પણ પોતાનો મિજાજ જાળવી રાખે છે. દુનિયામાં ટકી રહેવા પળેપળ હોશિયાર અને સતર્ક બનતા જતા માણસો વચ્ચે કવિ ઈશ્વર પાસે નોખા જ વ્યક્તિત્વની માગ
Hardik Vyas
અમરેલીના ગઝલકાર હાર્દિક વ્યાસ પોતાની ગઝલોમાં પુરુષાર્થ, પ્રારબ્ધ, જિંદગીની ફિલસૂફી અને આધ્યાત્મિકતાનો રંગ લઇ પોતાનું કવિકર્મ કરતાં આવ્યા છે. લાંબી બહેર પર હથોટી ધરાવતા કવિનાં અનેક શેરમાં જિંદગીનાં હકારનો પડઘો સાંભળવા મળે છે. તદ્દન નવા જ કલ્પનો સાથે
Chandrakant Sheth
આમ તો આયુષ્યનો અંતિમ તબક્કો મનુષ્ય માટે કપરો હોય છે. પરંતુ આપણી ભાષાનાં મૂર્ધન્ય કવિ ચંદ્રકાંત શેઠનું કવિ હૃદય જીવન સરિતાના આખરી તટ પર ઉભા રહી મૃત્યુના ઉદયને નિહાળતા નિહાળતા કવિકર્મ કરે છે અને આ ઘડીઓને વિલક્ષણ બનાવે છે. આ તબક્કામાં જાત સાથે થયેલી
હરીશ મીનાશ્રુ આપણી ભાષાના નીવડેલા કવિ અને અનુવાદક છે. કવિ લેખે અને અનુવાદક લેખે પણ એ રાષ્ટ્રીય કક્ષાએ પોંખાયેલા સર્જક છે. ભગિનીભાષાઓ પ્રત્યે સ્નેહાદર વ્યક્ત કરતું આ પુસ્તક ગુજરાતી કાવ્યભાવકને સમકાલીન ભારતીય
ગુજરાતી ગઝલના ઇતિહાસમાં અને મુશાયરા મહેફિલોમાં ખ્યાત નામ ખલીલ ધનતેજવીના ઈ.સ. 2001થી 2020 સુધીમાં ‘સાદગી’ (2001), ‘સારાંશ’ (2008), ‘સોગાદ’ (2012), ‘સૂર્યમુખી’ (2014), ‘સાયબા’ (2015), ‘સાંવરિયો’ (2017), ‘સગપણ’ (2017), ‘સરોવર’ (2018), ‘સોપાન’ (2019),
Anil Joshi
તળપદી બોલીમાં કાવ્યતત્ત્વના પ્રાણ પૂરી રચી ઉત્તમ કવિતાઓ, ભારતીય દંતકથાઓનાં પાત્રોને પોતાની કવિતામાં નોખી રીતે મઢ્યાં, કન્યાવિદાય જેવા પ્રસંગનું હૃદયદ્રાવક ગીત ઘરે-ઘરે ગૂંજતું કર્યું, માનવતાવાદ, પ્રેમ, સંવાદિતા, પ્રકૃતિ સાથે તાદાત્મ્ય જેમની કવિતાના
₹550.00
પાબ્લો એન્ટોનિયો કુઆદ્રા નિકારાગુઆના અગ્રદૂત - ઝંડાબરદાર છે, નિકારાગુઆમાં સન 1927-29 દરમિયાન વેન્ગાર્ડિયા લિટરરી મુવમેન્ટનો આરંભ થયો હતો. પાબ્લો એન્ટોનિયો એના મુખ્ય પ્રણેતાઓમાંના એક છે. નિકારાગુઆમાં રુબેન દારિયો પછીના સૌથી મહાન કવિ તરીકે એમની
Jitedra Prajapati
કવિતાના દરેક પ્રકારને ખેડનાર કવિ જિતેન્દ્રભાઈને ગઝલો વિશેષ આકર્ષે છે. આ વાત તેમના આ ચોથા ગઝલસંગ્રહમાં વર્તાય છે. જાત અને જગતની પીડાની સાથે સાથે બદલાતાં જતાં માનવમૂલ્યો અને પારિવારિક સંબંધોના લગાવને જિતેન્દ્રભાઈએ પોતાની ગઝલોનું તત્ત્વ બનાવ્યું છે.
ખલીલ ધનતેજવી આપણી ભાષાના પોંખાયેલા સર્જક છે. આ તેમનો દસમો ગઝલસંગ્રહ છે. એ જ મર્મવેધી અભિવ્યક્તિ, એ જ પ્રભાવ. આ શેર જુઓઃ ‘ન કોઈ ડર ન કોઈ વાતનો ખટકો રહેશે...તમે સીધા રહો, પડછાયો પણ સીધો રહેશે...કહી દો સામી છાતીએ હવે પાગલ હવાને...હશે અંધારું ત્યાં લગ આ
ઉદયન ઠક્કર કવિ છે એટલે કવિતાના ચાહક-ભાવક તો હોય જ; ‘હસ્તાક્ષર’માં તેઓ આસ્વાદક છે. તેમણે માણેલો, જાણેલો કાવ્યનો રસાનુભવ ‘હસ્તાક્ષર’ના પાને પાને રજૂ થયો છે. જે કવિતાનાં રસસ્થાનો સામાન્ય ભાવક સુધી સરળતાથી પહોંચાડે છે. ‘હસ્તાક્ષર’માં ગીત, ગઝલ, લોકગીત,
Nandini Trivedi
નરસિંહનાં પ્રભાતિયાંથી લઈને મીરાંનાં ભજનો સુધી, મેઘાણીનાં શૌર્યગીતોથી લઈને પાનબાઈનાં ભક્તિગીતો સુધી, કૃષ્ણગીતો હોય કે વર્ષાગીતો, ગઝલ, નજમ કે ફિલ્મીગીતો, રાસગરબા કે લગ્નગીતો ગુજરાતી ગીત-સંગીતનું ફલક અસંખ્ય સુમધુર ગીતોના મેઘધનુષી રંગોથી હર્યુંભર્યું
₹775.00