Rajesh Vyas ‘Miskeen’
રાજેશ વ્યાસ ‘મિસ્કીન’નો આ નવમો ગઝલસંગ્રહ છે. આમાં એમની 158 અપ્રગટ રચનાઓ સમાવી લેવામાં આવી છે. કવિ પ્રસ્તાવનામાં નોંધે છે તેમ, આ સંગ્રહની ઘણી ગઝલો મુસલસર છે. એમાં ભાવ-વિચાર-વિષયનું સાતત્ય જળવાયેલું રહે છે. પ્રત્યેક શે’ર પછીના શે’ર સાથે અનુસંધાન ધરાવે છે. સંગ્રહમાં એક આખો પ્રસંગ કે વાત વર્ણવતી અમુક નઝમનુંમાં ગઝલો પણ છે. ગુજરાતી ગઝલના પ્રેમીઓએ અનિવાર્યપણે માણવું પડે તેવું પુસ્તક.