Babu Suthar
ધારો કે, આપણામાં રહેલું કોઈ આપણને કેદ કરે અને એમાંથી મુક્ત થવા આપણે શું નું શું નથી કરતા? પરંતુ એક સર્જક એમાંથી મુક્ત થવા કવિતાઓ લખે છે અને સર્જે છે પોતાનાં હોવા/અસ્તિત્વ સાથે મળેલ આંતરિક વ્યથાઓને વાચા આપતો સંગ્રહ. આ સર્જક એટલે ફિલાડેલ્ફીયા સ્થિત કવિ બાબુ સુથાર અને એમનો કાવ્યસંગ્રહ એટલે કવિવર ટાગોરનાં ગદ્યકાવ્યોની અસર હેઠળ લખાયેલ રચનાઓનો સંગ્રહ – ઉદ્વેગ