Anil Joshi
તળપદી બોલીમાં કાવ્યતત્ત્વના પ્રાણ પૂરી રચી ઉત્તમ કવિતાઓ, ભારતીય દંતકથાઓનાં પાત્રોને પોતાની કવિતામાં નોખી રીતે મઢ્યાં, કન્યાવિદાય જેવા પ્રસંગનું હૃદયદ્રાવક ગીત ઘરે-ઘરે ગૂંજતું કર્યું, માનવતાવાદ, પ્રેમ, સંવાદિતા, પ્રકૃતિ સાથે તાદાત્મ્ય જેમની કવિતાના કેન્દ્રમાં છે, અનેક કાવ્યપ્રકારોમાં વિપુલ ખેડાણ કરી જીવતી કવિતાઓની આપણને ભેટ આપનારા આપણી ભાષાના સર્જક અનિલ જોશીની સમગ્ર કવિતાઓને એકસાથે માણવાનો અવસર એટલે એમનો સમગ્ર કવિતાસંગ્રહ ‘સાગમટે’.