Popatlal kohli
બંગાળમાં વહેતી નદીઓ તેની જમીનને ફળદ્રુપ બનાવે છે અને આ નદીઓના કિનારે આશ્રમ સ્થાપીને વસતા બાઉલ તેમની પાસે આવતા માણસોને આધ્યાત્મિક રીતે ફળદ્રુપ કરે છે. ખભે ઝોળી અને હાથમાં એકતારો લઈ અપરિગ્રહ વ્રતનું પાલન કરતા બાઉલો પાસે જો પોતાનું કંઈ છે તો એ છે એમનાં ભક્તિગીતો અને બોધકથાઓ. બંગાળમાં ગામેગામ અને ઘાટેઘાટ ફરી અનેક બાઉલ આશ્રમોની મુલાકાત લઈ બાઉલ ગુરુઓ પાસેથી સાંભળેલી અનેક કથાઓ આ પુસ્તકના માધ્યમથી આપણા સુધી પહોંચાડે છે સતીશચંદ્ર વ્યાસ.