Tushar Shukla
પ્રેમ જેવી સૌથી અંગત અને ખાનગી લાગણીને ક્યારેય નિશ્ચિત ચોકઠામાં બેસાડી શકાતી નથી. છતાંય તુષાર શુક્લ જેવી સંવેદનશીલ વ્યક્તિ પ્રેમના સંદર્ભમાં એક ચોકક્સ શબ્દાકાર ઊભો કરવાની કોશિશ કરે ત્યારે આકર્ષક પરિણામ આવ્યા વગર ન રહે. પ્રેમની કંઈકેટલીયે વ્યાખ્યાઓ અને અવનવી રંગછટાઓ આ પુસ્તકમાં વ્યકત થઈ છે. લેખક સ્વયં કહે છે તેમ, એક વ્યક્તિની ઉત્તર દિશા બીજી વ્યક્તિ માટે ઉત્તર ન પણ હોય, છતાંય સાગરખેડુને દીવાદાંડી ઉપયોગી તો બને છે. પ્રેમના પ્રદેશમાં ઊભેલી તેજસ્વી દીવાદાંડી જેવા આ પુસ્તકમાં સૌ કોઈને સ્પર્શવાનું કૌવત છે.