Chandrakant Topiwala
શ્રી ટોપીવાળાસાહેબનું વિવેચન વિવિધ સૂરોમાં પ્રગટેલ છે. ‘પહોંચનામા’માં એ બધા સૂરો વિસતર્યા છે. ‘પ્રથમ સૂર’માં સાહિત્યની સર્વસામાન્ય વિગતોનો સ્પર્શ છે. ‘મધ્યસૂર’માં મારી મધ્યકાલીન ચેતના અંગે મથામણ છે. ‘નવ્ય સૂર’માં મોટે ભાગે અર્વાચીનકાળનું પ્રતિનિધિત્વ છે. ‘કેન્દ્ર સૂર’માં કૃતિની કેન્દ્રિતતા મહત્ત્વની છે. ‘ગ્રથિત સૂર’માં વિવેચનાત્મક આકલન અને ગ્રથનનું પરિણામ છે. તો ‘અન્ય સૂર’ અન્ય દેશ ભાષા સાહિત્યની અનન્યતા અંકે કરે છે. ‘અંતિમ સૂર’માં એક વિશિષ્ટ પ્રાર્થનાનો અવાજ છે, જેમાં આત્મવિવેચનનો સંસ્કાર જોઈ શકાશે.